ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી

ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.

New Update
ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી

ગુજરાતમાં વરસાદે લાંબો બ્રેક લેતાં પાણીની સમસ્યા ઉભી થઇ છે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલાં અનેક ગામડાઓમાં નિયમિત પાણી નહિ મળતાં પાંચ હજાર કરતાં વધારે લોકો હાલાકી ભોગવી રહયાં છે.

ભાવનગરના ભાલ પંથકમાં ભર ચોમાસામાં પાણીની તંગી પડી રહી છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાંચ હજાર કરતાં લોકો પાણી માટે વલખી રહયાં હોવા છતાં તંત્રની આંધળી આંખે સમસ્યા દેખાતી ન હોય તેમ લાગી રહયું છે. વલભીપુર પાણી પુરવઠા વિભાગ તરફથી દેવળીયા સંપ માંથી નિયમિતપણે ભાલ પંથકના કાળા તળાવ, નર્મદ, સનેસ, ખેતાખાટલી, માઢીયા જેવા ગામોને પાણીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી ગ્રામજનોને પાણી અનિયમિત મળતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે.

ભાલ પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે તેનું કામ પણ ગોકુળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નિયમિત પણે પીવાનું પાણી વિતરણ નહીં થાય તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતારવાની ફરજ પડશે. પાણી વિના લોકોનું રોજીંદુ જીવન પ્રભાવિત થયું છે ત્યારે પાણી પુરવઠા વિભાગના મંત્રી આ બાબતે અંગત રસ દાખવી અધિકારીઓને સુચના આપે તેવી પણ લોકોએ માંગણી કરી છે.

Read the Next Article

અમદાવાદમાંક્રેશ થયેલી ફ્લાઇટમાં સવાર પેસેન્જર-ક્રૂનું લિસ્ટ, 50 મૃતદેહ બહાર કઢાયા

અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે.

New Update
image

 

અમદાવાદની લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ બાદ ક્રેશ થઈ ગઈ છે. આ ફ્લાઇટમાં 242 પેસેન્જર હતા. આ તમામ પેસેન્જરના નામની યાદી આવી છે. જેમાં વિજય રૂપાણીનું નામ પણ સામેલ છે.

દુર્ઘટના પહેલાં ફ્લાઇટ ઊંચાઈ 625 ફૂટ નોંધાઈ હતી. એ સમયે ફ્લાઇટ 322 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઊડી રહી હતી. પછી અચાનક જ ફ્લાઇટની ઊંચાઈ ઘટવા લાગી અને ધડાકાભેર તૂટી પડ્યું.

ફ્લાઇટ ટેક ઓફ થયા પછી તરત જ પાયલટે એટીસીને મેડેકોલ આપ્યો હતો. એટલે કે પાયલટને સૌથી મોટા ખતરાનો અંદાજો આવી ગયો હતો. જો કે એટીસી આ બાબતે કોઈ જવાબ આપે એ પહેલાં જ ફ્લાઇટ 475 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે આવવા લાગી. એટલે ગણતરીની સેકન્ડોમાં જ સેકડો લોકો મોતને મુખમાં ધકેલાઈ ગયા. ફ્લાઈટમાં 169 ભારતીય નાગરિકો સવાર હતાજ્યારે બ્રિટનની નાગરિકતા ધરાવતા 53, કેનેડાના અને પોર્ટુગલના નાગરિકો હતા.

ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બરનું લિસ્ટ:-

hh

 

ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જરનું લિસ્ટ:-

ff

 

 

ggg

ttg

66