ભાવનગર: લઠ્ઠાકાંડ મામલે હાઇપાવર કમિટીની રચના, મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

New Update
ભાવનગર: લઠ્ઠાકાંડ મામલે હાઇપાવર કમિટીની રચના, મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

બોટાદ અને ધંધુકા પંથકમાં બનેલી ઝેરી દારૂકાંડની ઘટનામાં હાલ જયારે ૬૩ જેટલા લોકો ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જે પૈકી ભાવનગરમાં જ સારવાર દરમ્યાન ૧૦ લોકોના મોત અને આ ઘટનામાં અત્યારસુધીમાં કુલ ૨૬ લોકોના મોતની પુષ્ટિ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ ગંભીર ઘટનાને પગલે રાજ્યસરકારના મંત્રીઓ તાકીદે ભાવનગર પહોચ્યા હતા અને દર્દીઓની મુલાકાત લીધી હતી જ્યાં આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 26 દર્દીઓના મોત થયા છે. ભાવનગરમાં 18 ક્રિટિકલ અને 12 ડાયાલીસીસ પર છે.

આ તરફ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ ચરમબંધીને છોડવામાં નહી આવે. સરકાર કાંઈ છુપાવવા નથી માંગતી. આ સાથે ઉમેર્યું હતું કે, આ રાજનીતિ કરવાનો વિષય નથી. સમગ્ર ઘટનાને લઈ એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. 

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.