ભાવનગર : પાલીતાણા શહેર અને તાલુકામાં મેઘરાજાનો તોફાની મિજાજ,12 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું

New Update
  • ભાવનગરમાં મેઘરાજાનો તોફાની અંદાજ

  • ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ ખાબક્યો

  • પાલીતાણામાં જળબંબાકારની સ્થિતિ

  • બે ગામમાં વરસાદી પાણીએ કરી જમાવટ

  • પ્રશાસન દ્વારા રાહત બચાવ કામગીરી કરાઈ 

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર અને તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, સોમવારની સવાર સુધીમાં 301 મીમી વરસાદ એટલે કે 12 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.ભારે અનરાધાર વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો છે.રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.બીજી તરફ ભારે વરસાદના કારણે સેજળીયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા, હાલ ગ્રામજનોની મદદ માટે પાલીતાણાનું સ્થાનિક પ્રશાસન અને તળાજાથી ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી  શરૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત વરસાદી પાણીમાં સેંજળીયા ગામના 10 થી 15 ગ્રામજનો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી.અને પાલીતાણાના મામલતદાર સહિત રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.

વરસાદી પાણીમાં ફસાયેલા 14 જેટલા લોકોને જેસીબીની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વધુમાં ભારે વરસાદને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.