ભાવનગર : ખેડૂતવાસમાં જમીન વિવાદમાં યુવકની હત્યાથી ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો.

New Update
  • ખેડૂતવાસમાં યુવકની હત્યાથી ચકચાર

  • જમીન વિવાદમાં યુવકની થઈ હત્યા

  • યુવકની જાહેરમાં જ કરવામાં આવી હત્યા

  • જિલ્લા પોલીસ તંત્ર થયું દોડતું

  • પોલીસના હત્યારાઓની ધરપકડ માટેના પ્રયાસો

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી ફરાર થઈ ગયા હતા.

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજા ની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. તેઓએ છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિશાલને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

જાણવા મળ્યા મુજબ જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપીએસઓજીએલસીબી અને ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.પોલીસે હત્યારાઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.