ભાવનગર : ડુંગરીના મબલક ઉત્પાદન સામે માર્કેટયાર્ડમાં જાવક ઓછી, તંત્ર દ્વારા ડુંગરી લાવવા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા મબલક ઉત્પાદનને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા છે.

New Update
ભાવનગર : ડુંગરીના મબલક ઉત્પાદન સામે માર્કેટયાર્ડમાં જાવક ઓછી, તંત્ર દ્વારા ડુંગરી લાવવા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા મબલક ઉત્પાદનને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા છે, ડુંગળીનું ઉત્પાદન થયા બાદ તેની સામે ઓછી જાવકને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શુક્ર-શનિ બે દિવસ માટે નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

દર વર્ષે ડુંગળીની નવી સીઝન શરૂ થવા સાથે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તે જ રીતે આ વર્ષે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખૂબ જ મોટી જગ્યામાં ડુંગળી ઉતારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અને ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ડુંગળીની આવક છે તેની સામે ડુંગળીની જાવક ઓછી હોવાને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાલ જે પ્રકારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા છે. એકંદરે 300 થી લઈને 500 સુધી એક મણના ભાવ આવી રહ્યા છે. સારા માલના ૫૦૦ કરતાં પણ વધુ ભાવ મળતાં હાલ ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઇને સંતોષ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.