ભાવનગર : દેશમાં ત્રીજા ક્રમની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી શરૂ,કાર્યાલયનો કરાયો શુભારંભ

ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે.

New Update
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી

  • ભાવનગરમાં યોજાય છે ત્રીજા ક્રમની રથયાત્રા

  • છેલ્લા 40 વર્ષથી રથયાત્રાનું કરાય છે આયોજન

  • રથયાત્રા સમિતિ દ્વારા કાર્યાલયનો કરાયો શુભારંભ

  • ભગવાનના દર્શનને લઈને ભક્તોમાં થનગનાટ

ભાવનગરમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે પણ અષાઢી બીજના રોજ યોજાશે. સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા ક્રમની રથયાત્રાની તડામાર તૈયારીના ભાગરૂપે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં છેલ્લા 40 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. અને આ વર્ષે 27 જૂનને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી યોજાશે. ત્યારે 40મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો. સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરા મુજબ રથયાત્રાને એક માસ પહેલા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે તારીખ 1 જૂનને રવિવારના રોજ ભાવનગર શહેરના કાળુભા રોડ સત્યનારાયણ ભગવાનના મંદિરની સામે રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારંભમાં સંતો-મહંતોરાજકીય અને સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

New Update
  • ઉચેડીયામાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી

  • ખાડી પર બ્રિજના અભાવે ખડૂતો પરેશાન

  • જીવન જોખમે ખાડી પસાર કરતા ગ્રામજનો

  • ખેડૂતોએ ખેતી કરવી પણ બન્યું મુશ્કેલરૂપ

  • સ્થાનિક તંત્રને રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • ગ્રામજનો ખાડીના જોખમ સાથે બન્યા લાચાર 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલી સહન કરીને ભારે યાતના વેઠી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે.ઉચેડીયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છેઅહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે.ઉચેડીયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે.

ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડીયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છેત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે.

ઉચેડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા દસ વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. દસ વર્ષ દરમિયાન પાંચથી સાત વખત જવાબદાર અધિકારીઓને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છેતેથી ઉચેડીયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે.તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.

 

Latest Stories