Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો પારિતોષીક વિતરણ સમારોહ યોજાયો...

સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે.

X

ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિવિધ સ્પર્ધામાં વિજેતા અને શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભાવનગરના સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. તેમજ અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. એક સમયે ભારતની શિક્ષણ પરંપરા સમગ્ર વિશ્વમાં પ્રચલિત હતી. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને વલ્લભી વિદ્યાપીઠમાં વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા હતા. એક વિદ્યાપીઠમાં 10-10 હજાર વિદ્યાર્થીઓ રહેતા અને અભ્યાસ કરતા. આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે, યુવાન સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, આ આપણી સંસ્કૃતિ નથી. આધુનિક સાયન્સ અને ટેક્નોલોજીનો અભ્યાસ પણ જરૂરી છે. તેની સાથે આધ્યાત્મ અને આપણા જીવનનો ઉદ્દેશ્ય પણ સમજાવા જોઈએ. આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારિયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, અકવાડા ગુરુકુળના વિષ્ણુસ્વરૂપ સ્વામીજી, મધુ સિલિકાના દર્શક શાહ, મોડેસ્ટ ઇન્ફ્રાના મેહુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story