ભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
BY Connect Gujarat Desk21 Nov 2023 11:57 AM GMT
X
Connect Gujarat Desk21 Nov 2023 11:57 AM GMT
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભાવનગરમાં હવે ભગવાન પણ સુરક્ષિત ન રહ્યા હોય એવો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિહોરમાં આવેલ આશાપુરા માતાજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું અને રોકડ રકમ સહિત ભગવાનની પાદુકા મળી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story