New Update
/connect-gujarat/media/post_banners/4b520fdeb9dce6c5287b53a4bd507c5148121ed3249fcdabff54a970d3088941.jpg)
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભાવનગરમાં હવે ભગવાન પણ સુરક્ષિત ન રહ્યા હોય એવો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિહોરમાં આવેલ આશાપુરા માતાજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું અને રોકડ રકમ સહિત ભગવાનની પાદુકા મળી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.