Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ

ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

X

ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ભાવનગરમાં હવે ભગવાન પણ સુરક્ષિત ન રહ્યા હોય એવો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના સિહોરમાં આવેલ આશાપુરા માતાજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું અને રોકડ રકમ સહિત ભગવાનની પાદુકા મળી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story