ભાવનગર : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું...

મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટેના આયોજનો

  • કરોડો રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આયોજન કરાયું

  • વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

  • કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયા રહ્યા વિશેષ ઉપસ્થિત

  • અગ્રણી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી

Advertisment

કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તાર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ તેમજ ખાતમુર્હૂતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે લોકોની સુખાકારી માટે રૂ. 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 2 કરોડના 1 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર ભરત બારડધારાસભ્ય સેજલ પંડ્યાકલેક્ટર આર.કે.મહેતામ્યુન્સિપલ કમિશનર સુજીત કુમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.