ભાવનગર : રીક્ષા ભાડું માંગતા જ ઘોઘારોડ પોલીસ મથક બહાર માથાભારે શખ્સે પથ્થર મારી રીક્ષાનો કાચ તોડ્યો..!

ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.

New Update

શહેરમાંથી પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો

Advertisment

ઘોઘારોડ પોલીસ મથકના મુખ્ય ગેટ નજીકની ઘટના

રીક્ષાનું ભાડું માંગતા માથાભારે શખ્સે પથ્થર ઉપાડ્યો

જગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રીક્ષાનો કાચ તોડ્યો

રીક્ષા ચાલકે ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધવી

ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા. જેમાં માત્ર રીક્ષા ભાડું માંગતા આરોપીએ પથ્થર ઉપાડ્યો અને રીક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો.

ભાવનગર શહેરના ઘોઘાગેટ પાસેથી પ્રતીક ગોહિલ નામના રીક્ષા ચાલકે સચિન મકવાણા નામના શખ્સને ઘોઘારોડ પોલીસ મથક સુધીનું ભાડું બંધાવ્યું હતુંજ્યાં રીક્ષા ચાલકે સચિન મકવાણા પાસે ઘોઘારોડ પોલીસ મથકે પહોંચીને રીક્ષા ભાડું માંગ્યું હતું. જેના લીધે પ્રતિક સાથે જગડો થતાં ઉશ્કેરાઈ જઈ સચિન  મકવાણાએ રીક્ષાનો કાચ પથ્થર મારીને ફોડી નાખ્યો હતો. આ અંગે પ્રતીક ગોહિલ દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છેજ્યારે સચિન મકવાણા 20 દિવસ પહેલા રીક્ષા ચોરીના ગુન્હામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી પોલીસ મથક બહાર જ રીક્ષાના કાચ તોડવા માટે સહેજ પણ અચકાયો નહીંઅને ગંભીર ગુન્હાને અંજામ આપ્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment