ભાવનગર : રીક્ષા ભાડું માંગતા જ ઘોઘારોડ પોલીસ મથક બહાર માથાભારે શખ્સે પથ્થર મારી રીક્ષાનો કાચ તોડ્યો..!

ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.

New Update

શહેરમાંથી પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો

ઘોઘારોડ પોલીસ મથકના મુખ્ય ગેટ નજીકની ઘટના

રીક્ષાનું ભાડું માંગતા માથાભારે શખ્સે પથ્થર ઉપાડ્યો

જગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં રીક્ષાનો કાચ તોડ્યો

રીક્ષા ચાલકે ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધવી

ભાવનગર શહેરમાં પોલીસને પડકાર ફેંકતો કિસ્સો સામે આવ્યો છે. ઘોઘારોડ પોલીસ મથકના ગેટ નજીક રીક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા. જેમાં માત્ર રીક્ષા ભાડું માંગતા આરોપીએ પથ્થર ઉપાડ્યો અને રીક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો.

ભાવનગર શહેરના ઘોઘાગેટ પાસેથી પ્રતીક ગોહિલ નામના રીક્ષા ચાલકે સચિન મકવાણા નામના શખ્સને ઘોઘારોડ પોલીસ મથક સુધીનું ભાડું બંધાવ્યું હતુંજ્યાં રીક્ષા ચાલકે સચિન મકવાણા પાસે ઘોઘારોડ પોલીસ મથકે પહોંચીને રીક્ષા ભાડું માંગ્યું હતું. જેના લીધે પ્રતિક સાથે જગડો થતાં ઉશ્કેરાઈ જઈ સચિન  મકવાણાએ રીક્ષાનો કાચ પથ્થર મારીને ફોડી નાખ્યો હતો. આ અંગે પ્રતીક ગોહિલ દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છેજ્યારે સચિન મકવાણા 20 દિવસ પહેલા રીક્ષા ચોરીના ગુન્હામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી પોલીસ મથક બહાર જ રીક્ષાના કાચ તોડવા માટે સહેજ પણ અચકાયો નહીંઅને ગંભીર ગુન્હાને અંજામ આપ્યો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.