ભૂપેન્દ્ર દાદા હવે ફોર્ચ્યુનર કારમાં ફરશે,CMના કાફલામાં 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર વસાવાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે.

New Update
ભૂપેન્દ્ર દાદા હવે ફોર્ચ્યુનર કારમાં ફરશે,CMના કાફલામાં 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર વસાવાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી લીધી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે એ ગાડીઓને બદલીને હવે નવીનક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ પોતાના ઉપયોગ માટે છોડાવી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સોમવારે જ મુખ્યમંત્રી પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. તેમની ગાડીના ડેશબોર્ડ પર તેમના શ્રદ્ધાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

Read the Next Article

તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.

Latest Stories