/connect-gujarat/media/media_files/2024/11/17/FTkiwdMDt7uiblxWw28l.jpg)
ગુજરાતમાં વિવિધ રસ્તાઓ પર હરહંમેશ માટે વાહન વ્યવહારની સમસ્યાઓ સર્જાતી હોય છે, અને ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન થઇ જાય છે.ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરવા માટે2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા અને માર્ગોને પહોળા કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે203.41 કિલોમીટર લંબાઈ ધરાવતા21 રસ્તાઓને ફોર લેન કરવા માટે1646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ સાથે221.45 કિલોમીટર લંબાઈના15 માર્ગોને10 મીટર પહોળા કરવા માટે580.16 કરોડ રૂપિયા અને388.89 કિલોમીટર લંબાઈના25 રસ્તાઓને7 મીટર પહોળા કરવા માટે768.72 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે.આમરાજ્ય સરકાર દ્વારા કુલ2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.