Connect Gujarat
ગુજરાત

"આચારસંહિતા ભંગ" : કોંગ્રેસના 2 ઉમેદવાર સામે ફરિયાદ, હવે વધી શકે છે મુશ્કેલીઓ...

ગુજરાત કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

આચારસંહિતા ભંગ : કોંગ્રેસના 2 ઉમેદવાર સામે ફરિયાદ, હવે વધી શકે છે મુશ્કેલીઓ...
X

ગુજરાત કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

ભાજપ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી. તો દરિયાપુરના કોંગ્રેસના ઉમેદવારે પત્રિકામાં ચૂંટણીનો સમય ખોટો દર્શાવ્યો હોવાથી તેમની સામે ફરિયાદ થઈ છે. અમદાવાદમાં દરિયાપુર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. મદદનીશ ચૂંટણી અધિકારીએ તેમની સાથે ફરિયાદ નોંધાવી છે. ગ્યાસુદ્દીન ચૂંટણી પ્રચાર માટે છપાયેલી પત્રિકામાં મુદ્રાનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવ્યુ હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે. મતદાન ઓછું થાય તે ઈરાદા સાથે સમય 8થી 6નો દર્શાવ્યો હોવાનું કારણ આપ્યું છે, ત્યારે આ મામલે માધવપુરા પોલીસ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક-પ્રકાશક સામે પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, કાર્યકરો દ્વારા નિયમની જાણકારી વિના શરત ચૂકથી પત્રિકા છપાવી હોવાનો ગ્યાસુદ્દીન શેખે હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો હતો. તો બીજી તરફ જાહેર ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપતા ભાજપે ચૂંટણી પંચમાં રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ રાજકોટ 68 બેઠક વિધાનસભા ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપે કહ્યું કે, ઇન્દ્રનીલ રાજગુરુ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. પોતાની જાહેર સભા દરમિયાન 'જય જયકાર કરું છું, હું મહાદેવનો જય જયકાર કરું છું' જેવા શબ્દો ઉચ્ચારવા બદલ આ ફરિયાદ કરાઈ હતી.

Next Story