/connect-gujarat/media/post_banners/55e0ca6c18c889eb818e7aae4a078cd173894756f872c67ae17539027344689b.webp)
આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સિનિયર IPS અધિકારીએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા સૂચન કર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનર એ ગાંધીનગરમાં લીધી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિકોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવાનું પ્રેરક સૂચન કરાયું હતું. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પૂરતી સુરક્ષા-સલામતી નો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓને 'ટીમ અમદાવાદ પોલીસ'ને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અમદાવાદના આંગણે હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ખાતે આવતા લોકોની સુરક્ષા-સલામતી વ્યવસ્થાની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.