Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : છુછાપુરા ગામ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ચાર વ્યકતિના મોત

કાલાવડથી છોટાઉદેપુર જઇ રહી હતી એસટી બસ, અકસ્માતનો ભોગ બનેલી કાર ખરગોન પાર્સિંગની.

X

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા પાસે એસટીની સ્લીપર બસ અને મધ્યપ્રદેશના ખરગોનની કાર વચ્ચે થયેલાં અકસ્માતમાં ચાર વ્યકતિઓના મોત થયાં છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક મંગળવારે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ કાલાવડથી છોટાઉદેપુર જઇ રહેલી એસટીની સ્લીપર બસ અને મધ્યપ્રદેશના ખરગોન તરફથી આવી રહેલી ક્રેટા કાર સામસામે ધડાકાભેર અથડાયાં હતાં. બસ સાથે ટકરાયાં બાદ કારનો ખુડદો બોલી ગયો હતો. આસપાસથી દોડી આવેલાં લોકોએ કારના દરવાજા તોડી તથા પતરા કાપી મૃતકોના ક્ષતવિક્ષત થઇ ગયેલાં મૃતદેહોને બહાર કાઢયાં હતાં.

તમામ મૃતકો મધ્યપ્રદેશના ખરગોનના હોવાની વિગતો બહાર આવી છે. સદનસીબે બસમાં સવાર મુસાફરો કોઇ ઇજા પહોંચી ન હતી. એસટી બસની ટકકરે કારની એટલી ખરાબ હાલત થઇ ગઇ હતી કે કારમાં ફસાયેલા લોકોને લોકોને કાઢતા સવાર થઈ ગઈ હતી. ચારેય મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.

Next Story