છોટાઉદેપુર : સર્વત્ર મેઘ મહેર થતાં ટોકરવા, ધામણી અને દુદવાલ નદીમાં આવ્યું પુર..!

ધોધમાર વરસાદના પગલે નદીઓમાં આવ્યું પુર, ખેતી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી.

New Update
છોટાઉદેપુર : સર્વત્ર મેઘ મહેર થતાં ટોકરવા, ધામણી અને દુદવાલ નદીમાં આવ્યું પુર..!

છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાય જવા પામી છે.

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો સાથે જ ભારે વરસાદના કારણે કવાંટની નાની ટોકરી નજીકથી પસાર થતી ટોકરવા, ધામણી અને દુદવાલ નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધામણી નદીનું પાણી કોઝ-વે ઉપર પાણી ફરી વળતા 40થી વધુ ગામના સ્થાનિકોને જીલ્લા મથકે જવા મુશ્કેલી પડી હતી. જોકે, સમગ્ર પંથકમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Read the Next Article

દાહોદ : સાંસદ દ્વારા સંચાલિત કે.જે.ભાભોર શાળામાં એલસી માટે વિદ્યાર્થી પાસેથી રૂ.5000 વસૂલ્યા,સ્ટિંગ ઓપરેશનમાં ફૂટ્યો ભાંડો

એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

  • સાંસદની કે.જે.ભાભોર સ્કૂલનો બનાવ

  • એલસી માટે વિદ્યાર્થી પાસેથી લીધા રૂપિયા

  • 5 હજારમાં વિદ્યાર્થીને આપ્યું એલસી

  • વાલીએ સમગ્ર ઘટનાનું કર્યું સ્ટિંગ ઓપરેશન

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી.આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાએ જણાવ્યું હતું કેપ્રથમ વખત એલ.સી. કઢાવવાનો કોઇ ચાર્જ હોતો નથી. જો આ શાળાએ એલ.સી. માટે ફી લીધી હશે તો એ નિયમ વિરૂદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતીગ્રાન્ટેડ શાળામાં જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઇ શકે છે અને જો ખાનગી શાળા હોય તો એફ.આર.સી. દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે. જે એફ.આર.સી.ના ધારાધોરણ મુજબ એ ફી લઇ શકતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે છે કે પછી સાંસદની શાળા હોવાથી માત્ર તપાસનું તરકટ કરવામાં આવશે તે જોવું રહ્યું.

Latest Stories