પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પોલીસ અને NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ,ધારાસભ્યની ભૂખ હડતાલ

NSUIના વિદ્યાર્થીઓ ભૂખહડતાળ પર ઊતર્યા હતા.અને સૂત્રોચ્ચાર કરીને ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા, જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતાં ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું

New Update
  • હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડનો મામલો

  • NSUIના કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

  • કોંગી MLA અને કાર્યકર્તાઓ ભૂખ હડતાલ પર બેઠા

  • પોલીસ સાથે સર્જાયું ઘર્ષણ

  • પોલીસકર્મી સાથે થઇ લાફાવાળી 

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને મામલો ગરમાયો હતો.કોંગી ધારાસભ્યની હાજરીમાં જ NSUIના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ સર્જાયું હતું,અને પોલીસકર્મીને એક યુવકે લાફો ઝીંકી દીધો હોવાના વિડીયો સામે આવ્યા હતા.

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં તારીખ 8 ડિસેમ્બર રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા બાસ્કેટ બોલના ખેલાડીઓએ એક રૂમમાં દારૂની મહેફિલ માણી હતી.ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરીને NSUI અને કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

જેના પગલે આજે ધારાસભ્ય સહિત NSUIના સભ્યો યુનિવર્સિટીમાં ભૂખહડતાળ પર ઊતર્યા હતા.અને સૂત્રોચ્ચાર કરીને ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતાજ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતાં ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મામલો વધુ ઉગ્ર થતાં ગાળાગાળીનાં દૃશ્યો સર્જાયાં હતાં. અને એક યુવકે ધારાસભ્ય અને પોલીસ ઈન્સ્પેકટરની હાજરીમાં જ પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો હતો.

જે ઘટનાનો વિડીયો પણ વાઇરલ થયો છે. ત્યાર બાદ કુલપતિની ચેમ્બરમાં ઘૂસી કડક ચેતવણી આપીને ધરણાં પ્રદર્શન પર બેઠા હતા. જોકે કુલપતિએ મુખ્યમંત્રીગૃહમંત્રી અને એસપીને રજૂઆત કરતા મામલો થાળે પડ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.