નર્મદા : પડતર પ્રશ્ને રજૂઆત કરવા જતાં MLA ચૈતર વસાવા સહિત AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું...

ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...

author-image
By Connect Gujarat Desk
New Update

કલેક્ટર કચેરી ખાતે પોલીસ અનેAAP વચ્ચે સર્જાયું ઘર્ષણ

કેટલાક પ્રશ્નોને લઈનેMLA ચૈતર વસાવાની તંત્રને રજૂઆત

TDOએ ભાજપ સદસ્ય બનાવવા કર્મચારીઓને ટાર્ગેટ :MLA

બનાવના પગલે પોલીસ અધીક્ષક સહિતનો કાફલો દોડી આવ્યો

ચૈતર વસાવાની કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી

નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, TDOએ સરકારી અધિકારીઓનેBJPના સભ્ય નોંધણી ઝુંબેશ માટે ટાર્ગેટ આપ્યો છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રાજૂઆત કરવા પહોંચ્યા હતા. વધુ સમર્થકોને જોઈને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ કચેરી અંદર ના ઘૂસી જાય તે માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈપણ રીતે અંદર આવી ગયા હતાઅને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય સાથે પોલીસની જીભાજોડી થઈ હતી. આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેએ આવી શાંત પાડી જિલ્લા કલેકટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી.

જોકેઆ દરમ્યાન ચૈતર વસાવાએ પડતર પ્રશ્નો રજૂ કરતા જિલ્લા કલેકટર દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ સાથે જ ચૈતર વસાવાએ આક્ષેપ સાથે વધુમાં જણાવ્યું હતું કેગત તા. 9થી વહીવટી તંત્ર દ્વારા ભાજપ સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે. અમે 17 જેટલા લોકોને ઝડપી પડ્યા છેઅને આ કરતા અમે એ લોકોને રોક્યા છે. દેડીયાપાડાનાTDO દ્વારા લોકોને આઇકાર્ડ આપવામાં આવ્યા છેઅનેOTP લઈ નોંધણી કરવામાં આવી રહી છેજેનો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.