નર્મદા : પડતર પ્રશ્ને રજૂઆત કરવા જતાં MLA ચૈતર વસાવા સહિત AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું...

ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...

author-image
By Connect Gujarat Desk
New Update

કલેક્ટર કચેરી ખાતે પોલીસ અને AAP વચ્ચે સર્જાયું ઘર્ષણ

કેટલાક પ્રશ્નોને લઈને MLA ચૈતર વસાવાની તંત્રને રજૂઆત

TDOએ ભાજપ સદસ્ય બનાવવા કર્મચારીઓને ટાર્ગેટ : MLA

બનાવના પગલે પોલીસ અધીક્ષક સહિતનો કાફલો દોડી આવ્યો

ચૈતર વસાવાની કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક મળી

નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, TDOએ સરકારી અધિકારીઓને BJPના સભ્ય નોંધણી ઝુંબેશ માટે ટાર્ગેટ આપ્યો છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રાજૂઆત કરવા પહોંચ્યા હતા. વધુ સમર્થકોને જોઈને પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ કચેરી અંદર ના ઘૂસી જાય તે માટે કચેરીના બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

પરંતુ રજૂઆત કરવા આવેલા સમર્થકો કોઈપણ રીતે અંદર આવી ગયા હતાઅને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય સાથે પોલીસની જીભાજોડી થઈ હતી. આક્ષેપો સાથે રોષ ઠાલવતા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબેએ આવી શાંત પાડી જિલ્લા કલેકટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી હતી.

જોકેઆ દરમ્યાન ચૈતર વસાવાએ પડતર પ્રશ્નો રજૂ કરતા જિલ્લા કલેકટર દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ સાથે જ ચૈતર વસાવાએ આક્ષેપ સાથે વધુમાં જણાવ્યું હતું કેગત તા. 9થી વહીવટી તંત્ર દ્વારા ભાજપ સદસ્યતા ઝુંબેશ ચલાવી રહ્યું છે. અમે 17 જેટલા લોકોને ઝડપી પડ્યા છેઅને આ કરતા અમે એ લોકોને રોક્યા છે. દેડીયાપાડાના TDO દ્વારા લોકોને આઇકાર્ડ આપવામાં આવ્યા છેઅને OTP લઈ નોંધણી કરવામાં આવી રહી છેજેનો વિરોધ નોંધાવ્યો હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યુ હતું.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.