નવતર 'અભિગમ : મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને અપાતું કોમ્પુટર જ્ઞાન-અંગ્રેજી બોલવાની તાલીમ

આજના આધુનિક યુગમાં મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનો પાછળના રહી જાય તે માટે દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી કોમ્પુટર ક્લાસ અને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી રહી છે.

New Update
નવતર 'અભિગમ : મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક બહેનોને અપાતું કોમ્પુટર જ્ઞાન-અંગ્રેજી બોલવાની તાલીમ

આજના આધુનિક યુગમાં મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક બહેનો પાછળના રહી જાય તે માટે દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી કોમ્પુટર ક્લાસ અને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી રહી છે.

ભારત એ ડિજિટલ તરફ આગળ કૂચ કરી રહ્યું છે. હાલમાં મોટા ભાગની વસ્તુઓ માટે કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો છે, ત્યારે આ દૂધ ઉત્પાદક સાથે જોડાયેલ બહેનો એટલે પશુપાલન કરતી મહિલાઓ પણ ડિજિટલ યુગ તરફ વળે અને કોમ્પુટર જ્ઞાન અને પોતાના જીવનમાં થોડું ઘણું ઇગ્લીશ ભાષાનો પણ ઉપયોગ કરે તે હેતુથી હાલ દૂધ સાગર ડેરી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં 240 લેપટોપ લગાવેલી 2 વાન દ્વારા પશુપાલક મહિલાઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં બેઝિક અંગેજી, બેઝિક કોમ્પ્યુટર તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખવાડવામાં આવી રહ્યું છે.

મહેસાણા જિલ્લોએ પશુપાલન ક્ષેત્રે ગુજરાતમાં જાણીતો જિલ્લો છે. મહેસાણાનું દૂધ દેશના ખૂણે ખૂણે સુધી લોકોના ઘરે પહોચ્યું રહ્યું છે. હાલમાં મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 5 ગામથી બહેનોને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. હાલમાં એક ગામમાં 800 લોકોને આધુનિક ટેકનોલોજી સાથે વિવિધ અભ્યાસક્રમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક ગામમાં 300 વિધાર્થીઓ, 300 મહિલા પશુપાલક અને 200 વિધાર્થીઓને શિક્ષણ આપવાની યોજના હાલમાં અમલમાં છે. આગામી દિવસોમાં મહેસાણા ડેરીના કાર્યકમ ક્ષેત્રમાં આવતા તમામ ગામોમાં આ પ્રોજેક્ટને શરૂ શરૂ કરવામાં આવશે તેવું દૂધ સાગર ડેરીના ચેરમેને જણાવ્યુ હતું.

Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.