Covid-19 : રાજ્યમાં આજે 21 નવા પોઝિટિવ કેસ નોધાયા, 13 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
BY Connect Gujarat10 Sep 2021 4:26 PM GMT
X
Connect Gujarat10 Sep 2021 4:26 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 21 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 158 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે અત્યાર સુધી 8,15,344 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી.
રાજ્યમાં 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3 , દેવભૂમિ દ્વારકા 2, કચ્છ 2, સુરત 2, ગીર સોમનાથ 1, નવસારી 1, પોરબંદર 1 અને રાજકોટમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં 5,05,001 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,18,80,420 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
Next Story