દાહોદ : 6 નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત 3 લોકોની ધરપકડ

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
દાહોદ : 6 નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સહિત 3 લોકોની ધરપકડ

બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં આખરે દાહોદ પોલીસે ગાંધીનગરથી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર અને નકલી કાર્યપાલક ઇજનેર સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના બોડેલી ખાતે નકલી કચેરીના બહુચર્ચિત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના મુખ્યા એવા તત્કાલીન હાલ નિવૃત IAS અધિકારીની ધરપકડ કરાતા કૌભાંડ મામલે સમગ્ર વહીવટી તંત્ર સહીત રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્તિથી સર્જાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે રૂ. 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં નકલી સરકારી અધિકારી અંકિત સુથારનો 4 દિવસ પહેલા જ દાહોદ પોલીસે ટ્રાન્ફર વોરંટથી છોટાઉદેપુર પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં પોલીસની પુછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા અંકિત સુથારે કર્યા હોવાનું સૂત્રો દ્વારા ધ્યાનમાં આવ્યું છે. ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારીને કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ દાહોદ પોલીસે ટેક્નિકલ સોર્સ અને ક્રોસ વેરિફિકેશન સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરતા વહીવટી તંત્રમાં છુપાભય સાથે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યવ્યાપી આ કૌભાંડમાં પ્રાયોજના અમલદારની સાથે સાથે અન્ય કઈ કચેરીના કયા અધિકારી સામેલ છે..?, કે કયા કર્મચારીની સંડોવણી છે..? તેની ચર્ચા સરકારી વર્તુળોમાં તો થઈ જ રહી છે. પરંતુ એથી વિશેષ સમગ્ર કૌભાંડમાં ક્યાં રાજકીય દેવનો હાથ હતો, તે દિશાની તપાસ પણ આરંભાઈ તેવી દહેશતના પગલે રાજકીય વર્તુળમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં તપાસનો દોર હજુ કેટલા મોટા માથાઓનો ભોગ લે છે તે જોવું રહ્યું. જોકે, સમગ્ર કૌભાંડમાં દાહોદ કચેરીમાં 100 જેટલા કેસ પૈકી 82 જેટલા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી બી.ડી.નિનામાના સમયગાળા દરમિયાન જ મંજૂર કરાયા હોવાનું બહાર આવવા પામ્યું છે, ત્યારે આ અધિકારી અન્ય સાથીદારોના નામ ઓકશે કે, તેઓને બચાવશે તે તો આવનાર સમય જ બતાવશે. પણ હાલ તો સમગ્ર મામલે જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read the Next Article

અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.

New Update
  • અમદાવાદ ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટના

  • મૃતદેહના કરવામાં આવ્યા DNA ટેસ્ટ

  • વિજય રૂપાણીના મૃતદેહની થઇ ઓળખ

  • રાજકોટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

  • અત્યાર સુધીમાં 14 મૃતદેહો સોંપવામાં આવ્યા 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.DNA ટેસ્ટ બાદ તેમના મૃતદેહની ઓળખ થઇ હતી,અને રાજકોટ ખાતે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે.જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે.

વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કેઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4મહેસાણાના 4વડોદરાના 2ખેડાનો 1અરવલ્લીના 1બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.

Latest Stories