દાહોદ : બુટલેગરનો ગજબનો કિમિયો, પાણીના ટેન્કરમાં દારૂની પેટીઓની હેરાફેરી

ગુજરાતમાં દારૂ બંધી હોવાથી બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમીયા અજમાવતાં રહે છે.

New Update
દાહોદ : બુટલેગરનો ગજબનો કિમિયો, પાણીના ટેન્કરમાં દારૂની પેટીઓની હેરાફેરી

ગુજરાતમાં દારૂ બંધી હોવાથી બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમીયા અજમાવતાં રહે છે. દાહોદ પોલીસે પાણીના ટેન્કરમાં કરાતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

દાહોદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઇ એચ.પી.કરેણ, પીએસઆઇ બી.એ.પરમાર તથા તેમની ટીમ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે,વાસીયા ડુંગરી તરફથી એક ઈસમ તેના નંબર વગરના ટ્રેક્ટરની પાછળ પાણીના ટેન્કરમાં દારૂની પેટીઓ ભરીને દેવગઢ બારીયા તરફ જવાનો છે. બાતમીના આધારે પીપેરો ગામ નજીક વોચ ગોઠવીને રતનસિંહ રાજપુતને ટેન્કર સાથે ઝડપી પાડયો હતો. ટેન્કરમાં પાણીના બદલે વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે 3 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો તથા ટેન્કર મળી કુલ 6.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.