ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી નાની દબાસ ગામના ખેડૂતનો નવતર પ્રયોગ...

પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ

New Update
ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી નાની દબાસ ગામના ખેડૂતનો નવતર પ્રયોગ...

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાની દબાસ ગામના ખેડૂત છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરીની ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચીગનો ઉપયોગ કરતા હતા, પંરતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનું પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પધ્ધતીનું આચ્છાદન અપનાવી તેઓએ ખેતીની આવક બમણી કરી છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ અને આજે ખૂબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ વખાણાય છે.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન 12 હજાર 251 હેક્ટરમાં બાગાયતી ખેતી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં રસાયણ મુક્ત ખેતીની યોજના અંતર્ગત હેન્ડ હોલ્ડીંગની કામ કરતી સંસ્થાઓ, પ્રાકૃતિક ખેતીની ગામેગામ તાલિમો આપી રહી છે.

ડાંગ જિલ્લામાં સમયાતંરે ખેડૂત તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી ડાંગ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ચુક્યા છે. આમ, ડાંગ જિલ્લામાં ખેડૂતોને રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતી ખર્ચના 75 ટકા સબસિડી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરીત કરાય રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.