ડાંગ : સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણવા ગિરિમથક સાપુતારામાં ઉમટ્યા સહેલાણીઓ…

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.

New Update
ડાંગ : સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણવા ગિરિમથક સાપુતારામાં ઉમટ્યા સહેલાણીઓ…

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.

સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કાતિલ ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે. તો બીજી તરફ, ગુલાબી ઠંડીની મજા માણવા કેટલાક સહેલાણીઓ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા પહોચ્યા છે, જ્યાં હાડ થિજાવતી ઠંડીના પગલે બજારો સૂમસામ બન્યા છે. લોકોએ ઘરોમાં પુરાઈ રહેવાનું મૂનાસીબ માન્યું છે.


તો બીજી તરફ, આકાશમાં વાદળછાયા વાતાવરણના પગલે શાકભાજી, સ્ટ્રોબેરી સહિત આંબાની મંજરીને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેવામાં અહી આવતા સહેલાણીઓ દિવસભર સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણી રહ્યા છે. જોકે, ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક માહોલ સર્જાતા સહેલાણીઓ પણ આનંદ માણતા નજરે પડ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.