બનાસકાંઠા : અંબાજી-ત્રિશૂળિયા ઘાટ પર ટ્રેલર પલટી જતા ચાલકનું મોત, ઘટના સ્થળે હાજર પોલીસ વાહન પણ અડફેટે ચઢ્યું...

અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો

New Update
  • અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પર 2 અકસ્માત

  • 2 અલગ-અલગ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

  • ટ્રેલરમાં લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જતાં ચાલકનું મોત

  • ઘટના સ્થળે હાજર પોલીસ વાહનને પણ ટ્રેલરની અડફેટ

  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. 2 અલગ-અલગ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છેજ્યારે ઘટના સ્થળે હાજર પોલીસ વાહનને પણ બ્રેક ફેલ થયેલા અન્ય ટ્રેલરએ ટક્કર મારતા પોલીસકર્મીઓ સહિતના લોકોનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠા જિલ્લાના અંબાજી-દાંતા માર્ગ પરની ત્રિશૂળિયા ઘાટમાં આજે સવારે એક પછી એક 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં પ્રથમ ઘટનામાં લોખંડના સળિયા ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલકનું લોખંડના સળિયા વચ્ચે ફસાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતાજ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ108 સહિત ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા.

અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જોકેમૃતદેહ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતીત્યારે જ એક જ માલિકના અન્ય એક ટ્રેલરની બ્રેક ફેલ થતાં તેણે ઘટનાસ્થળે હાજર પોલીસના 2 વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે પોલીસકર્મીઓ અને સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ દાંતા મામલતદારપ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Latest Stories