દ્રારકા : જગત મંદિર ખાતે ધ્વજા હવે અડધી કાંઠીએ ફરકાવવાનો નિર્ણય
મંદિરની ધ્વજા પર વીજળી પડવાની બની હતી ઘટના, ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર ઉપર પડી વીજળી.
BY Connect Gujarat14 July 2021 10:36 AM GMT
X
Connect Gujarat14 July 2021 10:36 AM GMT
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ભગવાનના શિખર લર ધ્વજા અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. ગઇકાલે મંદિર પરવીજળી પડવાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત પણે મેઘમહેર થઈ રહી છે ત્યારે ગઈકાલે દ્વારકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વેળા દ્વારકાના જગત મંદિરના શિખર પર વીજળી પડી હતી. સદનસીબે વીજળી પડવાની ઘટનામાં કોઇ નુકશાન થયું ન હતું પણ ધ્વજાને નુકશાન થયું હતું. વીજળી પડવાની ઘટના બાદ મંદિરના વહીવટદાર તરફથી એક મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. જગત મંદિરના શિખર પર હવે દ્વાજજી ને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને આ નિર્ણયનો અમલ શરુ કરી દેવાયો છે.
Next Story