પાટણ : સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા શૈક્ષણિક કાર્ય બંધ રખાયું...

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે લોકોને મોટું નુકશાન થવા પામ્યું છેત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે. શાળા પટાંગણ સહિત વર્ગખંડોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકેવિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છેજેથી દર વર્ષે ચોમાસામાં શાળા પાણીમાં ગરકાવ થાયછે. જોકેશાળાના મકાનને ઉંચુ લેવા માટે અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય તંત્ર કેસરકાર કોઇ ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગે છે. એવુ નથી કેસિદ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે. અન્ય કેટલીક શાળાઓ નીચાણવાળા વિસ્તારોમાં હતી. જેના મકાનને ઉંચુ લેવામાં આવ્યું છેજ્યારે ફૂલપુરા પ્રાથમિક શાળા તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવતું તેમ શિક્ષકો અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.