સાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..!

પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે

New Update
  • પ્રાંતિજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં થતી ફલાવર-કોબીજની ખેતી

  • પ્રાંતિજના ફલાવર-કોબીજની ગુજરાત સહિત દેશભરમાં રહી માંગ

  • તાલુકાના અનેક ખેડૂતોએ કરી છે ફલાવર-કોબીજની પુષ્કળ ખેતી

  • માર્કેટમાં ફલાવર-કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા

  • બિયારણખેડ-પાણીખાતર સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના ગામડાઓમાં મુખ્યત્વે શાકભાજીના પાકમાં પુષ્કળ પ્રમાણમાં ફલાવર-કોબીજની ખેતી થાય છે. પરંતુ હાલ ફલાવર અને કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છેઅને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે. પ્રાંતિજનું ફલાવર-કોબીજ ગુજરાતના અમદાવાદવડોદરાસુરતરાજકોટ સહિતના નાના-મોટા શહેરોમાં નિકાસ થાય છેજ્યારે મહારાષ્ટ્રના મુંબઇપુણાનાસિકદિલ્લીઉદેપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફલાવર-કોબીજની માંગ છેત્યારે હાલ તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતો અન્ય શાકભાજીની ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે.

તો બીજી તરફકમોસમી વરસાદ લઈને વાદળો આવી જતા ફલાવર એક સાથે ફુટી જતા ખેડૂતોએ પાકનો ઉતારો શરૂ કર્યો છે. પરંતુ બજારમાં ફલાવરનો પાક એક સાથે આવતા હાલ બજાર ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હોલસેલમાં 20 રૂ. કિલોનો ભાવ 40 એટલે કેબજાર ભાવ 2 રૂપિયા જેટલો મળતા મોધુ બિયારણદવાખાતરપાણી સહિત ખેડની મહેનતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છેખેડૂતો ફલાવરનો પાક માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે લઈને આવે છે. પણ ભાવ નામળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.