સાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..!

પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે

New Update
  • પ્રાંતિજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં થતી ફલાવર-કોબીજની ખેતી

  • પ્રાંતિજના ફલાવર-કોબીજની ગુજરાત સહિત દેશભરમાં રહી માંગ

  • તાલુકાના અનેક ખેડૂતોએ કરી છે ફલાવર-કોબીજની પુષ્કળ ખેતી

  • માર્કેટમાં ફલાવર-કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા

  • બિયારણખેડ-પાણીખાતર સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો

Advertisment W3.CSS

 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના ગામડાઓમાં મુખ્યત્વે શાકભાજીના પાકમાં પુષ્કળ પ્રમાણમાં ફલાવર-કોબીજની ખેતી થાય છે. પરંતુ હાલ ફલાવર અને કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છેઅને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે. પ્રાંતિજનું ફલાવર-કોબીજ ગુજરાતના અમદાવાદવડોદરાસુરતરાજકોટ સહિતના નાના-મોટા શહેરોમાં નિકાસ થાય છેજ્યારે મહારાષ્ટ્રના મુંબઇપુણાનાસિકદિલ્લીઉદેપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફલાવર-કોબીજની માંગ છેત્યારે હાલ તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતો અન્ય શાકભાજીની ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે.

તો બીજી તરફકમોસમી વરસાદ લઈને વાદળો આવી જતા ફલાવર એક સાથે ફુટી જતા ખેડૂતોએ પાકનો ઉતારો શરૂ કર્યો છે. પરંતુ બજારમાં ફલાવરનો પાક એક સાથે આવતા હાલ બજાર ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હોલસેલમાં 20 રૂ. કિલોનો ભાવ 40 એટલે કેબજાર ભાવ 2 રૂપિયા જેટલો મળતા મોધુ બિયારણદવાખાતરપાણી સહિત ખેડની મહેનતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છેખેડૂતો ફલાવરનો પાક માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે લઈને આવે છે. પણ ભાવ નામળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસરના કલીયારી ગામ નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, કાવી પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો

New Update
kavi

ભરૂચના જંબુસર તાલુકાના કલિયારી અને દહેરી ગામ વચ્ચે વૃક્ષ નીચેથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisment W3.CSS
ભરૂચના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કલીયારી અને દહરી ગામ વચ્ચે આવેલ પડતર જમીનમાં લીમડાના વૃક્ષ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતકનું નામ પ્રતાપ પુના રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસેમૃતદેહનો કબજો મેળવી તેને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.યુવાનનું મોત કઈ રીતે નીપજ્યું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.