અમરેલી : 13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય, કિસાન નેતા રાજુ કરપડા આવ્યા ખેડૂતોની વ્હારે...

13 ગામ પગલા સમિતિ સભામાં ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા.

New Update
  • રાજુલાના ધારેશ્વર ખાતે ખેડૂત સભાનું આયોજન

  • 13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય

  • કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા

  • વિવિધ પડતર પ્રશ્નોને લઈને યોજાય ખેડૂત સભા

  • ખેડૂતોએ પોતાને સાંકળ બાંધીને વિરોધ નોંધાવ્યો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ખેડૂતોએ સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાય હતી. જેમાં કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા હતા. રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લઈ ચૂંટાયેલા નેતાઓ સામે પણ પ્રહારો કર્યા હતાજ્યારે જગતના તાતને ખેતીના પાણી માટે વલખાં મારવા પડે છે. તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા.

રાજુ કરપડાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કેખેડૂતનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક-બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે. એટલું જ નહીંદુકાનોમાંથીરોડમાંથીપાઇપ લાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની-નાની દુકાનો પાસેથી મહિને 2 હજાર ઉઘરાવે છે. આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે. સરકારે ડૂબી મરવું જોઈએ તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું.

આ તરફસિંચાઈના પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાત્રી આપતા રાજુ કરપડાએ ધાતરવડી ડેમ-2માંથી પાલિકાને પાણી આપોને ધાતરવડી-1માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો તેમ જણાવ્યું હતું. રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો હતોઅને સરકાર પગલા નહી ભારે તો 5 દિવસ પછી 13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશેતેવું રાજૂ કરપડાએ જણાવ્યું હતું. ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.