અમરેલી : 13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય, કિસાન નેતા રાજુ કરપડા આવ્યા ખેડૂતોની વ્હારે...

13 ગામ પગલા સમિતિ સભામાં ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા.

New Update
  • રાજુલાના ધારેશ્વર ખાતે ખેડૂત સભાનું આયોજન

  • 13 ગામ પગલા સમિતિ દ્વારા ખેડૂત સભા યોજાય

  • કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા

  • વિવિધ પડતર પ્રશ્નોને લઈને યોજાય ખેડૂત સભા

  • ખેડૂતોએ પોતાને સાંકળ બાંધીને વિરોધ નોંધાવ્યો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ખેડૂતોએ સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ખાતે 13 ગામ પગલા સમિતિની ખેડૂત સભા યોજાય હતી. જેમાં કિસાન નેતા રાજુ કરપડા ખેડૂતોની વ્હારે આવ્યા હતા. રાજુ કરપડાએ સરકાર અને તંત્રને આડે હાથ લઈ ચૂંટાયેલા નેતાઓ સામે પણ પ્રહારો કર્યા હતાજ્યારે જગતના તાતને ખેતીના પાણી માટે વલખાં મારવા પડે છે. તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસને ઉજાગર કરવા કેટલાક ખેડૂતો સાંકળથી બંધાઈ અને મો પર પટ્ટી લગાવી ખેડૂત સભામાં પહોંચ્યા હતા.

રાજુ કરપડાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કેખેડૂતનો દીકરો 75 વર્ષે પણ એક પગે કામ કરે તો અહીંયા ચૂંટાયેલા એક-બે નેતાઓ અનાજ દળવાની ઘંટીમાં પણ કમિશન માંગે છે. એટલું જ નહીંદુકાનોમાંથીરોડમાંથીપાઇપ લાઇનોમાંથી પેટ નથી ભરાતા તો નાની-નાની દુકાનો પાસેથી મહિને 2 હજાર ઉઘરાવે છે. આઝાદીના 77 વર્ષ પછી પણ ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને પાણી માટે ભીખ માંગવી પડે છે. સરકારે ડૂબી મરવું જોઈએ તેવું રાજુ કરપડાએ જણાવ્યું હતું.

આ તરફસિંચાઈના પાણી માટે લડતા ખેડૂતોની પગલા સમિતિ સાથે પરિણામ સુધી રહેવાની ખાત્રી આપતા રાજુ કરપડાએ ધાતરવડી ડેમ-2માંથી પાલિકાને પાણી આપોને ધાતરવડી-1માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપો તેમ જણાવ્યું હતું. રાજુ કરપડા 13 ગામમાં ભાજપનો પ્રચાર કરશે તેવો હુંકાર કર્યો હતોઅને સરકાર પગલા નહી ભારે તો 5 દિવસ પછી 13 ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો લાગશેતેવું રાજૂ કરપડાએ જણાવ્યું હતું. ખેડૂત સભા પૂર્ણ કરી ખેડૂતો સાથે રાજુ કરપડા કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.

Read the Next Article

ભરૂચ: જંબુસર કાવી રોડ પર ટ્રેકટરની ટકકરે બાઈકચાલક આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી

New Update
ભરૂચના જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાયા હતા.બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે