વરસાદની “આગાહી” : આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું..!

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું,

New Update
વરસાદની “આગાહી” : આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું..!

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું, અને ધુળની ડમરીઓ સાથેની આંધી અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી. તેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોચ્યું હતું. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે.

જોકે, મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે. મહત્વનું છે કે, ગઈ કાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદ સિવાયના તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. મહત્વનું છે કે, છેલ્લા 2 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે આજથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો પણ વધી શકે છે.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ

Latest Stories