વિદેશીઓને લાગ્યો અમરેલીના મરચાનો ચટાકો, 3 પ્રકારના દેશી મરચાની વિદેશમાં માંગ...

અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી

New Update
  • કુકાવાવના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂત

  • દેશી ખેતીપાકો વિદેશની ધરતીએ પહોચાડતા સ્થાનિક ખેડૂત

  • મરચાની ખેતી થકી પ્રગતિશીલ ખેડૂતે કરી બતાવી સફળ ખેતી

  • 25 વીઘા જમીનમાં વિવિધ 3 પ્રકારના મરચાનું કરાયું વાવેતર

  • અંદાજે રૂ. 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની ખેડૂતને આશા

Advertisment

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે.

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે. અમરેલીના ખેતીપાકો છેક વિદેશની ધરતી પર પહોંચે તેવું ભગીરથ કાર્ય જગતના તાત કરી રહ્યા છેત્યારે કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામના યુવા ખેડૂત ધર્મેશ માથુકિયા પોતાના ખેતરમાં પકાવેલ મરચું ભારત બહાર અનેક દેશોમાં વેચાણ કરે છે. ખેડૂતે 25 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કર્યું છે. અલગ અલગ 3 પ્રકારના મરચાનું વાવેતર કર્યું છે.

જાહેર ખુલ્લા બજારમાં સુકા મરચાનો અંદાજિત ભાવ 3200થી 4000 રૂપિયા સુધી મળી રહે છેજ્યારે પાકનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો આવક ડબલ થાય છેઅને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. હાલ તેઓ મરચાનો પાવડર કરીને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. એક વીઘે 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છેજ્યારે 30થી 40 મણ મરચાનું ઉત્પાદન મળી રહે છે.

 જેમાં કાશ્મીરી મરચાનો ભાવ રૂપિયા 300જ્યારે મિક્સ રેશમ પટાનો ભાવ 450 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કેઅંદાજિત 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની આશા છેજ્યારે મરચાનું વેચાણ અમેરિકાલંડન સહિતના દેશોમાં પણ કરવામાં આવે છેતેમજ અમરેલી સૌરાષ્ટ્રઅમદાવાદ અને વડોદરાસુરત વિસ્તારમાં પણ આ મરચાની માંગ ખૂબ જ છે.

લોકો મોબાઇલ ફોન અને ટેલીફોનીક જાણ કરીને મરચાનો ઓર્ડર લખાવે છે. જે મુજબ મરચાનું વેચાણ કરતા ખેડૂતના મરચા વિદેશની ધરતી પર પહોંચે છેજે સફળતાની યશકલગી સમાન છે.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો, ૧૭૦ નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે, જેને પગલે કુલ સક્રિય કેસોની

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે,

Advertisment W3.CSS

જેને પગલે કુલ સક્રિય કેસોની સંખ્યા ૭૧૭ પર પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે.

જિલ્લાવાર સ્થિતિ:

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૭ નવા કેસ નોંધાયા છે.

  • મહેસાણા જિલ્લામાં પણ ૬ નવા કેસ સામે આવ્યા છે.
  • હિંમતનગરમાં કોરોનાના ૨ નવા કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગર મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.