વિદેશીઓને લાગ્યો અમરેલીના મરચાનો ચટાકો, 3 પ્રકારના દેશી મરચાની વિદેશમાં માંગ...

અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી

New Update
  • કુકાવાવના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂત

  • દેશી ખેતીપાકો વિદેશની ધરતીએ પહોચાડતા સ્થાનિક ખેડૂત

  • મરચાની ખેતી થકી પ્રગતિશીલ ખેડૂતે કરી બતાવી સફળ ખેતી

  • 25 વીઘા જમીનમાં વિવિધ 3 પ્રકારના મરચાનું કરાયું વાવેતર

  • અંદાજે રૂ. 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની ખેડૂતને આશા

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે.

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે. અમરેલીના ખેતીપાકો છેક વિદેશની ધરતી પર પહોંચે તેવું ભગીરથ કાર્ય જગતના તાત કરી રહ્યા છેત્યારે કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામના યુવા ખેડૂત ધર્મેશ માથુકિયા પોતાના ખેતરમાં પકાવેલ મરચું ભારત બહાર અનેક દેશોમાં વેચાણ કરે છે. ખેડૂતે 25 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કર્યું છે. અલગ અલગ 3 પ્રકારના મરચાનું વાવેતર કર્યું છે.

જાહેર ખુલ્લા બજારમાં સુકા મરચાનો અંદાજિત ભાવ 3200થી 4000 રૂપિયા સુધી મળી રહે છેજ્યારે પાકનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો આવક ડબલ થાય છેઅને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. હાલ તેઓ મરચાનો પાવડર કરીને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. એક વીઘે 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છેજ્યારે 30થી 40 મણ મરચાનું ઉત્પાદન મળી રહે છે.

 જેમાં કાશ્મીરી મરચાનો ભાવ રૂપિયા 300જ્યારે મિક્સ રેશમ પટાનો ભાવ 450 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કેઅંદાજિત 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની આશા છેજ્યારે મરચાનું વેચાણ અમેરિકાલંડન સહિતના દેશોમાં પણ કરવામાં આવે છેતેમજ અમરેલી સૌરાષ્ટ્રઅમદાવાદ અને વડોદરાસુરત વિસ્તારમાં પણ આ મરચાની માંગ ખૂબ જ છે.

લોકો મોબાઇલ ફોન અને ટેલીફોનીક જાણ કરીને મરચાનો ઓર્ડર લખાવે છે. જે મુજબ મરચાનું વેચાણ કરતા ખેડૂતના મરચા વિદેશની ધરતી પર પહોંચે છેજે સફળતાની યશકલગી સમાન છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.