વિદેશીઓને લાગ્યો અમરેલીના મરચાનો ચટાકો, 3 પ્રકારના દેશી મરચાની વિદેશમાં માંગ...

અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી

New Update
  • કુકાવાવના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂત

  • દેશી ખેતીપાકો વિદેશની ધરતીએ પહોચાડતા સ્થાનિક ખેડૂત

  • મરચાની ખેતી થકી પ્રગતિશીલ ખેડૂતે કરી બતાવી સફળ ખેતી

  • 25 વીઘા જમીનમાં વિવિધ 3 પ્રકારના મરચાનું કરાયું વાવેતર

  • અંદાજે રૂ. 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની ખેડૂતને આશા

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે.

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીમાં હરણફાળ ભરી છે. અમરેલીના ખેતીપાકો છેક વિદેશની ધરતી પર પહોંચે તેવું ભગીરથ કાર્ય જગતના તાત કરી રહ્યા છેત્યારે કુકાવાવ તાલુકાના અમરાપુર ધાનાણી ગામના યુવા ખેડૂત ધર્મેશ માથુકિયા પોતાના ખેતરમાં પકાવેલ મરચું ભારત બહાર અનેક દેશોમાં વેચાણ કરે છે. ખેડૂતે 25 વીઘા જમીનમાં મરચાનું વાવેતર કર્યું છે. અલગ અલગ 3 પ્રકારના મરચાનું વાવેતર કર્યું છે.

જાહેર ખુલ્લા બજારમાં સુકા મરચાનો અંદાજિત ભાવ 3200થી 4000 રૂપિયા સુધી મળી રહે છેજ્યારે પાકનું મૂલ્ય વર્ધન કરવામાં આવે તો આવક ડબલ થાય છેઅને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. હાલ તેઓ મરચાનો પાવડર કરીને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. એક વીઘે 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છેજ્યારે 30થી 40 મણ મરચાનું ઉત્પાદન મળી રહે છે.

 જેમાં કાશ્મીરી મરચાનો ભાવ રૂપિયા 300જ્યારે મિક્સ રેશમ પટાનો ભાવ 450 રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કેઅંદાજિત 40 લાખ જેવી નફાકારક ખેતી થવાની આશા છેજ્યારે મરચાનું વેચાણ અમેરિકાલંડન સહિતના દેશોમાં પણ કરવામાં આવે છેતેમજ અમરેલી સૌરાષ્ટ્રઅમદાવાદ અને વડોદરાસુરત વિસ્તારમાં પણ આ મરચાની માંગ ખૂબ જ છે.

લોકો મોબાઇલ ફોન અને ટેલીફોનીક જાણ કરીને મરચાનો ઓર્ડર લખાવે છે. જે મુજબ મરચાનું વેચાણ કરતા ખેડૂતના મરચા વિદેશની ધરતી પર પહોંચે છેજે સફળતાની યશકલગી સમાન છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.