જુનાગઢ વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી, આયોજકો ફોન બંદ કરી નાસી છૂટ્યા.

કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.

New Update
વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી

જુનાગઢ જિલ્લાના વિસાવદરમા સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે વિસાવદર પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમા સમુહ લગ્નના નામે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે બાબતે જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી..

ભરત ઉસદડીયામહેશ ગજેરા અને મહેશ વઘાસીયા સામે રઘુભાઈ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. સમગ્ર સમૂહ લગ્નના આયોજનની વાત કરીએ તો 15 મે ના રોજ સમૂહ લગ્નનું આયોજન હતું. જેમાં કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.

જેને લઈને સમૂહ લગ્નમાં નોંધણી કરેલ પરિવારો દ્વારા આ બાબતે આયોજકોનો સંપર્ક કરાયો હતો  તો પહેલા તો કોઈને કોઈ જવાબ આપતા રહ્યા બાદમાં આયોજકો જ ફોન બંધ કરી નાસી ગયા હતા. નોંધણી માટે 11,000 ની ફી અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વર /કન્યા પક્ષ પાસેથી લેવાયા હતા. અંતે રઘુ રાઠોડ નામની વ્યક્તિ જેઓએ પોતાના દિકરાના લગ્નની નોંધણી કરાવી હતી તેમણે હિમ્મત દાખવી અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે વિસાવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.