Connect Gujarat
ગુજરાત

અમદાવાદ-કચ્છ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, કાર ટેમ્પા સાથે ભટકાતા ચાર લોકોના મોત

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

X

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્વિફટ કારમાં સવાર 4નાં મોત નીપજ્યાં હતાં અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્વિફટ કારમાં સવાર 4નાં મોત નીપજ્યાં હતાં અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્વિફટ કાર ડ્રાઇવ કરનારે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ડિવાઈડર કુદાવી ગઈ હતી. જે બાદ બીજી સાઈડ ઉપર જઈ આઈસર સાથે કાર અથડાઈ હતી. જેથી અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે કાર ડિવાઈડર કુદાવી સામેથી આવતી આઈસર સાથે અથડાઈ હતી. જેથી અકસ્માતની ઘટના બનતા હળવદના 4 યુવકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story