ગાંધીનગર: રાજ્યની 17 જેલમાં 1700 પોલીસે અધિકારીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન,જુઓ શું શું મળી આવ્યું

રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

New Update
ગાંધીનગર: રાજ્યની 17 જેલમાં 1700 પોલીસે અધિકારીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન,જુઓ શું શું મળી આવ્યું

રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેના કારણે ફફડાટ ફેલાય જવા પામ્યો છે

ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સચિવોની બેઠક બાદ અચાનક જ રાજ્યની સાબરમતી જેલ સહિત 17 જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેઠક બાદ એકા-એક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા. મોડી સાંજે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશન આજ સવાર સુધી ચાલ્યું. જેમાં 1700 કર્મચારીઓ જોડાયા હતા. જેલમાં ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેલના કેદીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. જેલર સહિત અન્ય સ્ટાફ પાસેથી કેદીઓ માટે શું વ્યવસ્થા છે તેની વિગતો મેળવી હતી. એક બે જગ્યાએથી સ્માર્ટ ફોન અને સાદા ફોન મળી આવ્યા છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ગઈકાલે રાત્રે 09:00 વાગે ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેલમાં પહોંચ્યો હતો. લાજપોર જેલમાં કમાન્ડો કીટ અને બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન કેટલીક બેરેકમાં કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં મોડી રાત્રે તપાસ હાથ ધરાઈ હતી. જૂની જેલની તપાસ બાદ નવી જેલમાં તપાસ હાથ ધરાઈ હતી. વહેલી સવારે પણ મધ્યસ્થ જેલમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં DCP, ACP, DySP સહિતનો કાફલો જોડાયો હતો. તપાસ દરમિયાન જેલમાંથી મોબાઈલ અને ગેજેટ્સ મળી આવ્યા છે. 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories