ગાંધીનગર: કોરોના મૃત્યુઆંક બાબતે ભાજપ કોંગ્રેસના સામસામે પ્રહાર
BY Connect Gujarat28 Sep 2021 12:36 PM GMT
X
Connect Gujarat28 Sep 2021 12:36 PM GMT
ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે કોરોનાના કારણે થયેલ મોત અને સહાય બાબતે ભાજપ તેમજ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા.કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે સરકાર પાસે ઉધ્યોગપતિઓ માટે રૂપિયા છે પરંતુ કોરોના મૃતકોના પરિવારજનો પાસે નથી અને સરકાર મોતના આંકડા છુ પાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા તો સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે કોંગ્રેસ મીડિયામાં રહેવા માટે આવા ખોટા આરોપ લગાવે છે સરકારે માત્ર ડેઝીગનેટેડ હોસ્પિટલમાં થયેલા મોતના આંકડા મંગાવ્યા હતા એ જ વિધાનસભામાં રજૂ કર્યા છે. જુઓ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો
Next Story