Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરાયું...

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણના પગલે અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત 5 હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસટી. બસની સુવિધા મળતી થશે, સાથે જ પોતાના કામકાજ કે, રજૂઆત માટે સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ સરળ પરિવહન સેવા મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની 70 નવી બસોને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story