ગાંધીનગર: વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી, ધારાસભ્યો જોવા મળ્યા ઉત્સવના માહોલમાં

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા

New Update
ગાંધીનગર: વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી, ધારાસભ્યો જોવા મળ્યા ઉત્સવના માહોલમાં

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા

ગુજરાત વિધાનસભાના સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી હતી. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીની ઉજવણીમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આ ઉજવણીનો બહિષ્કાર કર્યો હતો.ભાજપના તમામ ધારાસભ્યોએ ધૂળેટીના પર્વની રંગ ગુલાલ સાથે ઉજવણી કરી.

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો અને મંત્રીઓ ધૂળેટી રમ્યા હતા. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નેચરલ કલર અને કેસૂડાના ફૂલથી ધૂળેટી રમી હતી.

Read the Next Article

અમરેલી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ-પ્રકૃતિ પ્રેમી-વિદ્યાર્થીઓએ “સિંહ બચાવો”ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી...

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

  • વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આયોજન કરાયું

  • ગીરની શાન ગણાતા સિંહો માટે જનજાગૃતિ રેલી યોજાય

  • સિંહના મુખોટા પહેરી અનેક વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા

  • સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવો પ્રયાસ :RFO

આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીરની શાન ગણાતા સિંહો માટે અમરેલી જિલ્લામાં વન વિભાગપ્રકૃતિ પ્રેમીઓ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ... ગીરની શાન ગણાતા સિંહો માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માન અને મોભા સાથે દેશભરમાં ઉજવાય છેત્યારે સિંહોના સામ્રાજ્ય એવા અમરેલી જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારીખાંભાસાવરકુંડલારાજુલા સહિતના પંથકમાં શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે રેલી યોજી હતી. જેમાં વન વિભાગ સહિત પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા હતા. ગીરના ગ્રામીણ ગામડાઓ સાથે બૃહદ ગીરના ગામોમાં સિંહોનું આધિપત્ય વધુને વધુ વિસ્તરે તેવા સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સાવરકુંડલા વનવિભાગના અધિકારીઓશિક્ષણ વિભાગપોલીસ અને રાજકીય મહાનુભાવોએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આયોજિત જનજાગૃતિ રેલી સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.