Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર:૨૧ તારીખે માલધારી સમાજ દૂધ નહીં ભરે,વિધાનસભાના ઘેરાવાની ચીમકી પણ ઉચ્ચારાય

વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગર:૨૧ તારીખે માલધારી સમાજ દૂધ નહીં ભરે,વિધાનસભાના ઘેરાવાની ચીમકી પણ ઉચ્ચારાય
X

વિવિધ માંગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. માલધારી વેદના સમ્મેલનમાં 20 કરતાં વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતા પણ વધુ મંદિર ના ભૂવા, 17 કરતા પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજ ના રાજકીય અને સામાજિક આગેવાનો સભામાં હાજર રહ્યા હતા. સભામાં માલધારી સમાજ આકરા પાણીએ જોવા મળ્યો હતો. પોતાની માંગણીઓને લઈ તેમજ તકલીફને લઈ માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો.

માલધારી સમાજની કુલ 14 માંગણીઓ છે જેને લઈને કેટલાક સમયથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. તેવામાં સરકારે વધુ એક કાયદો લાવી માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનો નું કહેવું છે, અમે કેટલાક સમયથી અમારા 14 મુદ્દાની માંગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ કાયદો લઈને આવી. જેનાથી એવું લાગી રહ્યું છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી.જેમાં જો સરકાર માગણી નહી સ્વીકારાય તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં પરંતુ 21મી તારીખે સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈ મંચ પરથી એક દિવસ માલધારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેચવાની જાહેરાત કરી હતી. હાલ તો પોતાની પડતર માંગોને લઈ મેદાને છે. અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછું ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Next Story