ગાંધીનગર: PM નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે લખ્યુ એક્ઝામ વોરિયર્સ નામનું પુસ્તક, જુઓ મોદીના શું છે સફળતાના મંત્રો
PM નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સના ગુજરાતી સંસ્કરણનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk19 Jan 2023 9:05 AM GMT
X
Connect Gujarat Desk19 Jan 2023 9:05 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ માટે લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સના ગુજરાતી સંસ્કરણનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કર્યું હતું.આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધ્યાપકો માટે આ પુસ્તક એક્ઝામ ફિયર દૂર કરવામાં ઉપયોગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુસ્તકમાં પરીક્ષાને એક ઉત્સવ તરીકે આનંદભેર ઉજવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. પુસ્તકના દરેક પ્રકરણમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ પણ આપવામાં આવી છે.
Next Story