ગાંધીનગર : ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે ભટકાઈ, 5 પિતરાઇ ભાઈના મોત…

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.

New Update
ગાંધીનગર : ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે ભટકાઈ, 5 પિતરાઇ ભાઈના મોત…

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર કેશવ ગૌશાળા નજીક ગત મોડીરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 પિતરાઈ ભાઈના કરુણ મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઊતરી ગઈ હતી. જે બાદ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 પિતરાઈ ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ પિતરાઈ ભાઈઓ ફિલ્મ જોવા ગયા હતા. જે બાદ પરત ફરતી વેળા તેમને અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતાં જ પેથાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યારે હાલ તો પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય..

રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા

New Update
  • રાજભવન ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ઉજવણી કરાય

  • રાજભવન પરિવારના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતી

  • યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિતોએ સમૂહમાં યોગાભ્યાસ કર્યો

  • યોગને જીવનનો નિયમિત ભાગ બનાવો : આચાર્ય દેવવ્રત 

ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

યોગાભ્યાસ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કેયોગને જીવનનો નિયમિત ભાગ બનાવો. વધુમાં તેમણે કહ્યું કેયોગથી જીવનમાં આરોગ્ય અને સુખ તો આવે જ છેસાથોસાથ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે.