ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર મંત્રીઓ અને અધિકારીઓ માટે સરકારે લાગુ કર્યો આ નવો નિયમ !

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ અને અધિકારીઓએ તેમનો મોબાઈલ બહાર જમા કરાવવો પડશે

New Update
ગાંધીનગર: કેબિનેટની  બેઠકમાં ભાગ લેનાર મંત્રીઓ અને અધિકારીઓ માટે સરકારે લાગુ કર્યો આ નવો નિયમ !

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેનાર તમામ મંત્રીઓ અને અધિકારીઓએ તેમનો મોબાઈલ બહાર જમા કરાવવો પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ રાજ્યમાં ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં ફરી સરકાર રચવાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્ટિવ થઈ અને ફાસ્ટ ટ્રેક પર કામગીરી શરૂ કરી દીધી હતી. વડાપ્રધાન મોદીએ સરકારને સાત સૂત્રો પર કામગીરી કરવા સૂચન કર્યું છે. જેનું સરકાર દ્વારા પાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. આમ કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.

આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટ બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે. જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા. આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા. હવે મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.
Latest Stories