નવા વર્ષના પ્રારંભે ગુજરાતને ભેટ : બનાસકાંઠાના થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરાયો, જ્યારે રાજ્યમાં મનપાની સંખ્યા વધીને 17 થઈ

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.

New Update
a

ગુજરાત રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ આવેલા છેજેમાં હવે વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ સાથે જ તા. 1 જાન્યુઆરી-2025થી આણંદમહેસાણાવાપીગાંધીધામમોરબીસુરેન્દ્રનગરનવસારીનડીયાદ સહિત પોરબંદર મળી 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં રાજ્યમાં મનપાની સંખ્યા વધીને હવે 17 મનપા થઈ છે.

2025ના નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકાર દ્વારા ભેટ ધરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને હવે નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છેજેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા 2 તાલુકા બની શકે તેમ છે. જેમાં એક થરાદમાં આવેલું રાહ ગામ અને પાલનપુર તાલુકામાં આવેલ ગઢ ગામનો સમાવેશ થાય છે. હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. પરંતુ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવસુઈગામથરાદદિયોદરભાભરલાખણી અને કાંકરેજનો સમાવેશ થશેજ્યારે પાલનપુરડીસાઅમીરગઢદાંતાધાનેરાદાંતિવાડા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે. જોકેવર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશેજેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી શકે છે.

આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે. જૂનો બનાસકાંઠા જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેવર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરીએ જણાવ્યુ હતું કેગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદમાં પણ મ્યુનિસિપાલિટી હતીપણ અમદાવાદની વધતી જતી વસતિ અને વધતી જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદવડોદરા અને સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ અને તે બાદ ભાવનગરજુનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. કોર્પોરેશનની રચનાનું મૂળ કારણ શહેરીકરણ છે. સામાન્ય રીતે ગુજરાત સરકારે કોર્પોરેશનની રચના કરવા માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો નથી બનાવ્યા. પરંતુ જે શહેર કેવિસ્તારની વસતિ 2 કેઅઢી લાખ કરતાં વધુ હોય અને આસપાસના ગામ સુધી શહેર વિસ્તરી ગયા હોયત્યારે આ ગામડાને જોડી એક કોર્પોરેશન વિસ્તાર બનાવવો એવી વાત હાલ ચાલી રહી છે. તો બીજી તરફમ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ખાસ કરીને વિસ્તાર અને વસતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.