નવા વર્ષના પ્રારંભે ગુજરાતને ભેટ : બનાસકાંઠાના થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરાયો, જ્યારે રાજ્યમાં મનપાની સંખ્યા વધીને 17 થઈ

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.

New Update
a
Advertisment

ગુજરાત રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ આવેલા છેજેમાં હવે વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે.

Advertisment

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ સાથે જ તા. 1 જાન્યુઆરી-2025થી આણંદમહેસાણાવાપીગાંધીધામમોરબીસુરેન્દ્રનગરનવસારીનડીયાદ સહિત પોરબંદર મળી 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં રાજ્યમાં મનપાની સંખ્યા વધીને હવે 17 મનપા થઈ છે.

2025ના નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકાર દ્વારા ભેટ ધરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને હવે નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છેજેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. સૂત્રો મુજબ નવા જિલ્લાની સાથે નવા 2 તાલુકા બની શકે તેમ છે. જેમાં એક થરાદમાં આવેલું રાહ ગામ અને પાલનપુર તાલુકામાં આવેલ ગઢ ગામનો સમાવેશ થાય છે. હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. પરંતુ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવસુઈગામથરાદદિયોદરભાભરલાખણી અને કાંકરેજનો સમાવેશ થશેજ્યારે પાલનપુરડીસાઅમીરગઢદાંતાધાનેરાદાંતિવાડા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે. જોકેવર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશેજેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી શકે છે.

આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે. જૂનો બનાસકાંઠા જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેવર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરીએ જણાવ્યુ હતું કેગુજરાતની સ્થાપના થઈ ત્યારે અમદાવાદમાં પણ મ્યુનિસિપાલિટી હતીપણ અમદાવાદની વધતી જતી વસતિ અને વધતી જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદવડોદરા અને સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ અને તે બાદ ભાવનગરજુનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. કોર્પોરેશનની રચનાનું મૂળ કારણ શહેરીકરણ છે. સામાન્ય રીતે ગુજરાત સરકારે કોર્પોરેશનની રચના કરવા માટે કોઈ ચોક્કસ નીતિ-નિયમો નથી બનાવ્યા. પરંતુ જે શહેર કેવિસ્તારની વસતિ 2 કેઅઢી લાખ કરતાં વધુ હોય અને આસપાસના ગામ સુધી શહેર વિસ્તરી ગયા હોયત્યારે આ ગામડાને જોડી એક કોર્પોરેશન વિસ્તાર બનાવવો એવી વાત હાલ ચાલી રહી છે. તો બીજી તરફમ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ખાસ કરીને વિસ્તાર અને વસતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.

Latest Stories