Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળમાં એક મકાનની દીવાલ ત્રણ બાળકો પર ધસી પડી, 1નું મોત, બેની હાલત ગંભીર

ભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં ભીડીયા વિસ્તારમાં બપોરના સમયે રમી રહેલા બાળકો પર એક જૂની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો કાટમાળ નીચે દબાયા હતા,જેમાં એક નું મોત નીપજયું હતું

વેરાવળના ભિડીયા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. ઘર પાસે રમી રહેલા બાળકો ઉપર એક જૂના મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ રવેશના કાટમાળ નીચે ત્રણ બાળકો દટાઇ ગયા હતા, જે પૈકીના એક બાળકનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીટીટીવીની અંદર હજારો કિલો વજનનું બાંધકામ રમી રહેલા બાળકો પર પડતું જોઇને કોઇનું પણ હદય દ્રવી જાય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ અને માછીમાર સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા.

વેરાવળ નગરપાલિકા આવા જર્જરિત બાંધકામોને દંડવામાં નિષ્ફળ રહી હોય શહેરની અંદર અનેક વિસ્તારોમાં આવા બાંધકામ હજુ અસ્તિત્વમાં છે ત્યારે પાલિકા દ્વારા પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story