ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર

જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો

New Update
ગીર સોમનાથ: સુત્રાપાડાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવને શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાનનો કરાયો શૃંગાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને કરાયેલ વિશિષ્ટ શૃંગાર શિવભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.ગામના બજરંગ ગ્રુપના યુવાનો દ્વારા ટેકનોલોજીની સાથે વૈદિક સંસ્કૃતિનો સમન્વય જોડી આ વિશિષ્ટ શૃંગાર કરાયો હતો.જેમાં યુવાનો દ્વારા આપણા દેશનું ગૌરવ ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ સાથે ચંદ્રમંડળ તેની સાથે સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના 18 અધ્યાયની માહીતી રજૂ કરવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.