ગીર સોમનાથ: મેઘપુર ગામે બહેનને પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ કરી સગી બહેનની હત્યા

મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે

New Update
ગીર સોમનાથ: મેઘપુર ગામે બહેનને પ્રેમી સાથે જોઈ જતા ભાઈએ કરી સગી બહેનની હત્યા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મેધપુર ગામે જરીના કાતીયારના ધરના ફળીયામાં એક સગીર યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા સગીરા સલમા નુરમહમદ કાતીયાર હોવાનું અને બારેક વર્ષ પૂર્વે તેણીના માતા પિતાનું અવસાન થયા બાદ સંબંધી જરીના કાતીયાર સાથે મેધપુરમાં જ જે ઘરેથી લાશ મળી ત્યાં જ રહેતી હતી. જેથી પોલીસે પ્રથમ સલમાના મૃત્યુ અંગે જરીનાબેનની પુછપરછ કરતા તેઓ ઘટનાની રાત્રીના પ્રભાસ હોસ્પીટલ ખાતે પોતાના સંબંધી દાખલ હોય ત્યાં હોવાથી કશું જાણતા ન હોવાનું જણાવતા હતા. જયારે પાડોશીઓને પણ કઈ ખબર ન હોવાનું પુછપરછ કરતા જાણવા મળેલ હતુ. જો કે, સગીરાનો મૃતદેહ જોતા હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાતુ હતુ.પોલીસે આ મામલે જણાવ્યુ હતું કે મૃતક સગીરા સલમાની હત્યા તેના 20 વર્ષીય સગા ભાઈ સિકંદર નુરમહમદ કાતીયારએ પાલક માતા જરીનાબેન કાતીયારની મદદથી કરી છે. કારણ કે, મૃતક સલમાને તેના કૌટુંબિક સગા ઇસ્માઇલ ઉર્ફે ભાભલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. બે દિવસ પૂર્વે ઘટનાની રાત્રીના ઇસ્માઇલ ઉર્ફે ભાભલો મૃતક સલમાના ઘરની અગાસી ઉપર જોવા મળતા તેને શબક શિખડાવવા માટે સિકંદર અને જરીનાબેનએ પ્રથમ ભાભલાને મુઢ માર મારતા તે નાસી ગયો હતો. બાદમાં બંન્નેએ સલમાને આડેધડ ઢીકાપાટુનો તેમજ પટ્ટા- લાકડી વડે ક્રૂરતાપૂર્વક મારમારી પીલોર સાથે માથુ ભટકાડી હત્યા નિપજાવી હતી. બાદમાં બંન્નેએ સલમાને છાપરા નીચેથી સલમાના મૃતદેહને ઢસડીને ઘરની ઓસરીમાં લઈ મુકી દીધી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.