ગીર સોમનાથ : ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સર્જાયો વિવાદ,ધારાસભ્યે તંત્રની કામગીરી સામે નોંધાવ્યો વિરોધ

સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

New Update
  • સોમનાથમાં  ડિમોલેશનમાં સર્જાયો વિવાદ

  • દબાણકારો રસ્તા પર ઉતરી આવ્યા

  • ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં ઉતર્યા

  • 70 થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

  • તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યનો ગંભીર આરોપ

ગીર સોમનાથમાં તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જોકે ધારાસભ્ય અને દબાણકારોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો,અને પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના બનતા પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે,અને કોર્ટ દ્વારા જિલ્લા કલેકટર અને તંત્રને આ સંદર્ભે નોટિસ પણ ફટકારી હતી,જોકે તેમ છતાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ દબાણકર્તાઓનાં સમર્થનમાં આવ્યા છે,અને આ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તેમજ જિલ્લા કલેકટર પર આકરા શાબ્દિક પ્રહાર કરીને તંત્ર પર દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો,જોકે દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું,અને પોલીસે તેઓની સામે અટકાયતી પગલાં લીધા હતા.સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે,ત્યારે તંત્રની કામગીરી સામે દબાણકર્તાઓમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.