ગીર સોમનાથ : ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સર્જાયો વિવાદ,ધારાસભ્યે તંત્રની કામગીરી સામે નોંધાવ્યો વિરોધ

સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા

New Update
  • સોમનાથમાં  ડિમોલેશનમાં સર્જાયો વિવાદ

  • દબાણકારો રસ્તા પર ઉતરી આવ્યા

  • ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં ઉતર્યા

  • 70 થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

  • તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યનો ગંભીર આરોપ 

Advertisment W3.CSS

ગીર સોમનાથમાં તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જોકે ધારાસભ્ય અને દબાણકારોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો,અને પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના બનતા પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે,અને કોર્ટ દ્વારા જિલ્લા કલેકટર અને તંત્રને આ સંદર્ભે નોટિસ પણ ફટકારી હતી,જોકે તેમ છતાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ દબાણકર્તાઓનાં સમર્થનમાં આવ્યા છે,અને આ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તેમજ જિલ્લા કલેકટર પર આકરા શાબ્દિક પ્રહાર કરીને તંત્ર પર દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો,જોકે દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું,અને પોલીસે તેઓની સામે અટકાયતી પગલાં લીધા હતા.સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે,ત્યારે તંત્રની કામગીરી સામે દબાણકર્તાઓમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં