ગીર સોમનાથ : 2600 કિલો કેરીથી વિભુષીત સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી...
સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરાયો કેરીથી વિભુષીત મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા કેરીનો પ્રસાદ 10 હજારથી વધુ બાળકોને વિતરણ કરાશે
BY Connect Gujarat Desk13 Jun 2022 3:54 PM GMT
X
Connect Gujarat Desk13 Jun 2022 3:54 PM GMT
સૌરાષ્ટના રત્નાકર તટે બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે સોમવારના રોજ પ્રથમ વખત 2600 કિલો કેરીના વિશેષ મનોરથ સાથેનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારે કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
આ અવસરે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેરી મનોરથની સંકલ્પ પુજા શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવી હતી. દર્શન બાદ આ 2600 કિલો કેરીનો પ્રસાદ વેરાવળના 55 ગામડાઓની 324 આંગણવાડીઓની બહેનો દ્વારા 3થી 6 વર્ષની ઉમરના 10થી વધુ બાળકોને વિતરણ કરવામાં આવશે.
Next Story