ગીર સોમનાથ : ભૂમાફિયાઓ સામે જિલ્લા કલેકટરની કાર્યવાહી, દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનાં દંડથી ચકચાર

ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

New Update
  • ઐતિહાસિક ખનીજ ચોરીની ઘટના

  • ભુમાફિયાઓ પર જિલ્લા કલેકટરે બોલાવી તવાઈ

  • દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ વસુલાયો

  • જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં સામે આવી ખનીજચોરી

  • જિલ્લા કલેકટરની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે,ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત દોઢ માસમાં 2.21 અબજનો ખનીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં મંજુર થયેલ લીઝના ઓથા હેઠળ જ ખનીજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અને જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં મોટી ખનીજ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હતો.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર અને ઉના,વેરાવળ અને તલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2.21 અબજની ખનીજ ચોરી ઝડપાઈ હતી,અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ભૂમાફિયાઓ સામેની કડક કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. 

Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.