ગીર સોમનાથ : ભૂમાફિયાઓ સામે જિલ્લા કલેકટરની કાર્યવાહી, દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનાં દંડથી ચકચાર

ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.

New Update
  • ઐતિહાસિક ખનીજ ચોરીની ઘટના

  • ભુમાફિયાઓ પર જિલ્લા કલેકટરે બોલાવી તવાઈ

  • દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ વસુલાયો

  • જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં સામે આવી ખનીજચોરી

  • જિલ્લા કલેકટરની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે,ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત દોઢ માસમાં 2.21 અબજનો ખનીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં મંજુર થયેલ લીઝના ઓથા હેઠળ જ ખનીજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અને જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં મોટી ખનીજ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હતો.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર અને ઉના,વેરાવળ અને તલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2.21 અબજની ખનીજ ચોરી ઝડપાઈ હતી,અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ભૂમાફિયાઓ સામેની કડક કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો હતો. 

 

Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.