ગીર સોમનાથ : ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ પર LCBના દરોડા,55 જુગારીયાની ધરપકડ સાથે 2.90 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું.ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું.LCB પોલીસે 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

New Update
  • સાસણ ગીરમાંથી ઝડપાયું જુગારધામ

  • ધ ગીર રિસોર્ટમાં ચાલતું હતું જુગારધામ

  • LCBની ટીમને મળી મોટી સફળતા

  • પોલીસે 55 જુગારીયાઓની કરી ધરપકડ

  • રોકડ સહિત 2.90 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું.ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું.LCB પોલીસે 55 જુગારીઓને 2 કરોડ 90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પ્રવાસન સ્થળ સાસણ ગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે એક બાતમીના આધારે સાસણ ગીર નજીકના રિસોર્ટમાં દરોડો પાડીને જુગાર રમતા 55 લોકોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસારLCB પોલીસને સાસણ ગીર નજીક આવેલ "ધ પ્રીમિયર રિસોર્ટ" માં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 55 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.55 આરોપીઓ પૈકી 16 જુગારીયા અગાઉ પણ અન્ય ગુન્હામાં સંડોવાયેલા છે.

પોલીસની આ કાર્યવાહીથી સાસણ ગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડિયા તાલુકા કોંગ્રેસનું તંત્રને આવેદન, ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકો સુરક્ષિત રાખવા રજૂઆત કરાય...

ગરીબ પરિવારોને NFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

New Update
Jhagadia Congress

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનેNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનાNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કેઝઘડિયા તાલુકામાંNFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધારા-ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગવામાં આવે છે. પરંતુ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટીસ આપવામાં આવી છે કેજેમનેGST એટલે શું..તે પણ ખબર નથી.

NFSAની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાયતેને કુલ એકગ સાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશનકાર્ડ રાદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોનાNFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવેતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.