/connect-gujarat/media/post_banners/da17b4f0a694116ceab3856afb69efda2c348b64af49fff2b0a700c148d1cd5a.webp)
આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી તાલાલા સાસણને જોડતા રાજ્ય ધોરીમાર્ગના,આ કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગતિ એ ચાલી રહ્યું છે જેને લઈ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે હાલમાં ઘુસિયા ગીરગામ નજીક રોડનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે તેમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડનું કામ આઠ ઇંચના બદલે માત્ર ચાર ઇંચ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત રોડના કામ દરમિયાન કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રાજ્ય ધોરીમાર્ગના કામમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ મુદ્દે જવાબદાર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી.ગજેરાના જણાવ્યા મુજબ ગ્રામજનોના આક્ષેપ પાયા વિહોણા છે અને માર્ગનું કામ ટેન્ડર એસ્ટીમેન્ટ મુજબ જ થઈ રહ્યું છે.